મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ


SHARE











મોરબીના લાલપર ગામે સાંસદ મોહનભાઇએ ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કર્યુ

મોરબી તાલુકાના લાલપર ગામે સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે ડો.બાબાસાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનુ ઉદધાટન કરાયું હતુ.

મોરબીના લાલપર ગામે સાસંદ સભ્ય મોહનભાઇની ગ્રાન્ટમાંથી રૂા.પાંચ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ પુર્ણ થતા સાસંદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે લોકાર્પણ કરાયું તથા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ પુ્ષ્પમાળા પહેરાવી કરવામા આવ્યુ હતુ આ તકે સાસંદ મોહનભાઇએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા બંધારણના ધડવૈયા બાબાસાહેબની સ્મૃર્તિ માટે ભારતમાં જુદીજુદી જગ્યાઓને પંચતિર્થ તરીકે વિકસાવવામાં આવશે તથા ડો.બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી બોધ લઇ તેમના સિધ્ધાંતોને આપણા જીવનમાં ઉતારીએ એવી અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં હીરાભાઇ ટમારીયા ચેરમેન આરોગ્ય સમિતિ જીલ્લા પંચાયત તથા અરવિંદભાઇ વાસદડીયા પ્રમુખ મોરબી તાલુકા ભાજપ,.જેઠાભાઇ પારેધી, નિલેશ જેતપરીયા પ્રમુખ સિરામિક એશોસિયન, કાનજીભાઇ ચાવડા, વિક્રમસિંહ ઝાલા, હંસાબેન ગોરધનભાઇ સોલંકી ચેરમેન તા.પંચાયત, ગોપાલભાઇ સોલંકી, સરપંચ શારદાબેન રમેશભાઇ વાંસદડીયા, લાલજીભાઇ સોલંકી  સહિતના મહાનુભાવો જોડાયા હતા.કાર્યક્રમનુ સંચાલન કનુભાઇ ચૌહાણે કર્યુ તથા કાર્યક્રમના આયોજક ડુંગર ભગત, સંજય સોલંકીની ટીમ દ્વારા તમામ મહેમાનોનો આભાર માનવામા આવ્યો હતો.






Latest News