મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો


SHARE











હળવદમાં આધેડની હત્યા મામલે તેના પાડોશી સામે નોંધાયો ગુનો

હળવદમાં શનિવારે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને આધેડની હત્યા કરવામાં આવી છે જેથી કરીને હળવદ પોલીસ બનાવ સ્થળે પહોચી છે અને મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હત્યાના આ બનાવની અંદર હાલમાં મૃતકના પિતરાઇ ભાઇની ફરિયાદ લઈને મૃતકના પાડોશીની સામે હાલમાં હત્યાનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

મુળ સાપકડાના જેમાભાઈ રૂપાભાઈ નંદેસરીયા જાતે કોળી જે હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેર ની અંદર આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહે છે અને તે બે અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા અને થોડા દિવસો પહેલાં જ તેના માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ શનિવારે મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા મારી જેમાભાઈ કોળીની હત્યા કરવામાં આવી છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને હળવદ પીઆઈ એ.એ. જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશને પીએમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ બનાવ બાદ બાજુમાં રહેતાં પરીવારના લોકો ત્યાં હાજર ન હોવાથી તેના ઉપર હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી હતી અને હાલમાં હત્યાના આ બનાવમાં મૃતકના પિતરાઇ ભાઇ પ્રવીણભાઈની ફરિયાદ લઈને પોલીસે વિક્રમભાઈ ચતુરભાઈ કોળી સામે હત્યાનો ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જો કે આરોપી પકડાયા બાદ તેણે કયા કારણોસર જેમાભાઈની હત્યા કરી છે તેની માહિતી સામે આવશે તેવુ હાલમાં પોલીસ જણાવી રહી છે




Latest News