મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા


SHARE











મોરબી ચોમેર સમસ્યાઓથી ઘેરાયેલ હોય કમિશ્નર ગુજરાતમાં નગરને નવી ઓળખ અપાવે તેવી અપેક્ષા: કે.ડી.બાવરવા

મોરબીના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલ છે ત્યારે કમિશ્નર પાસે ઘણી અપેક્ષા હોય તે સ્વાભાવિક છે ત્યારે ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કમિશ્નરને કેટલા સૂચનો લોકોની સુખાકારી માટે કરવામાં આવેલ છે અને ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતા મોરબીને પહેલા કમિશ્નર નવી ઓળખ અપાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવાએ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકારે અનેક વાયદાઓ પછી મોરબીને કોપોરેશન આપેલ છે અને કમીશ્નરની પણ નિમણૂક કરવામાં આવેલ છે. ત્યારે મોરબીના લોકોને કઈ કઈ સમસ્યા છે તેની માહિતી તો મળી જ હશે. આ મોરબી શહેર સિરામિક માટે જગ વિખ્યાત છે અને ટેક્સ ભરવામાં પણ પહેલા નંબરે આવે છે જો કે આ નગર ધૂળીયા નગર તરીકે ગુજરાતમાં જાણીતું થઈ ગયેલ છે. આ મોરબીમાં અગાઉ ડામર રોડ તો ઠીક પરંતુ સિમેન્ટ  કોન્ક્રેટ રોડ પણ બે વર્ષથી વધારે ટકતા નથી. તેવું કામ લોકોએ આગાઉ જોયેલું છે. આજની તારીખે લોકોને ટ્રાફિક, રાખતા ઢોર, જન્મ તારીખ દાખલા સહિતની અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. ત્યારે મહાપાલિકાના કમિશ્નર પાસે લોકોને ઘણી અપેક્ષાઓ છે અને રાજકોટના પૂર્વે  કમીશ્નર જગદીશન દ્વારા જે રીતે કામ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે દબાણ દૂર કરવા સહિતની કામગીરી આપના દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.




Latest News