મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે બાઇક સ્લીપ થતાં ધરમપુર ગામના યુવાનનું મોત

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે પોતાના બાકના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનોને ઇજાઓ થવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઈને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા રાજેશભાઈ હરજીવનભાઈ સોલંકી પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૩૬ એએ ૯૧૬૮ લઈને મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીકથી પસાર થતા હતા ત્યારે તેણે પોતાના બાઈકના સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને રાજેશભાઈ સોલંકીને શરીરે ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે હાલમાં મૃતક યુવાનના ભાઈ નરેશભાઈ હરજીવનભાઈ સોલંકી રહે. નવા ધરમપુર વાળાની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News