મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત


SHARE











મોરબીના માનસર નજીક મચ્છુ નદીમાંથી રેતીચોરીની સરપંચે કરી ખાણખનીજ વિભાગમાં લેખિત રજૂઆત

મોરબીના માનસર ગામે મચ્છુ નદીમાંથી બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવે છે અને ખનીજ માફિયાઓ નારણકા ગામ તરફથી રેતી ચોરી કરી રહ્યા છે તેવી માનસર ગામના સરપંચ દ્વારા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે.

હાલમાં માનસર ગામના સરપંચ જિતેન્દ્રભાઈ પી. ઠોરીયા દ્વારા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીને લેખિત રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, માનસર ગામ પાસેથી મચ્છુ નદીમાં પાસસાર થાય છે તે નદીમાંથી ગામના લોકોને પોતાની ખેતીની જમીનમાં પિયત માટે પાણી મળે છે આ મચ્છુ નદીમાંથી રેતી ચોરી કરવામાં આવે છે જેથી કરીને નદીનું તળ નીચું જવાના કારણે પાણીમાં ખારાશ આવી રહી છે અને નદીનું પાણી ખેડુતો સિંચાઈ માટે ઉપયોગ કરી શક્તા નથી અને જો પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરે તો ખેડુતોની જમીનને નુકશાન થાય છે.

હાલમાં જે શખ્સો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે તે ખનીજ માફીયાઓ દ્વારા મચ્છુ નદીને નુકશાન કરવામાં આવે છે તેમજ સરકાર કરોડો રૂપિયાનું નુકશાન કરી રહ્યા છે તેમજ નદીનું પાણી ખારાશ વાળું થઈ જવાથી ખેડૂતોને પણ નુકશાન કરી રહ્યા છે. હાલમાં મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી ગયેલ છે અને ખનીજ માફીયાઓ બેફામ બનેલ છે ત્યારે તાત્કાલીક ધોરણે મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ ચેકડેમ પાસેથી જે રેતીની ચોરી કરવામાં આવી રહી છે તે ખનીજ ચોરી રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News