ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ: મોરબીમાં નંદીધર-45 (ડી) ના ખર્ચ સહિતની માહિતી ન આપતા કોંગ્રેસે પાલિકામાં કર્યો સદબુદ્ધિ હવન


SHARE











તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ: મોરબીમાં નંદીધર-45 (ડી) ના ખર્ચ સહિતની માહિતી ન આપતા કોંગ્રેસે પાલિકામાં કર્યો સદબુદ્ધિ હવન

મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદાજુદા કામોમાં મોટા પ્રમાણમા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે તેની માહિતી છેલ્લા પાંચ મહિનાથી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી કરીને મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આજે કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્ર્મ આપ્યો હતો અને ખાસ કરીને પાલીકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં "સદબુધ્ધિ" હવન કર્યો હતો.

મોરબી જિલ્લા કોંગેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદીધરમાં કરવામાં આવેલ ખર્ચની વિગતો, આવાસયોજનાના કામમાં કરવામાં આવેલ ખર્ચની વિગતો અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગવામાં આવી રહી છે. પરંતુ પાલીકામાંથી કોંગ્રેસનાં પ્રમુખોને સરકારી ચોપડે નોંધાયેલ માહિતી આપવામાં આવી રહી નથી જેથી કરીને અધિકારીઓ પણ ભાજપના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખે કરેલ છે

મોરબીમાં સોમવારે સવારે શનાળા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાઇ હતી અને ત્યાર બાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે "સદબુધ્ધિ" હવન કર્યો હતો. વધુમાં કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી પાલિકાની તિજોરી પાલિકાની છેલ્લી બોડી સાફ કરી નાખેલ છે જેથી કરીને મુખ્યમંત્રીને ફરિયાદ કરીશ તેવું કહેતા હતા પરંતુ આ બાબતે ધારાસભ્ય ચૂપ છે. જો કે, વારંવાર માહિતી માંગવા છતાં પણ માહિતી આપવામાં આવેલ નથી જેથી પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કરીને કોંગ્રેસનાં આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, છેલ્લી પાલિકાની ચૂંટણીમાં બાવાને બાવન સભ્યો ભાજપના હતા ત્યારે નંદીઘર ખર્ચની વિગતો, આવાસયોજનાના ખર્ચની વિગતો અને કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગી છે પણ પાલિકામાંથી માહિતી આપેલ નથી અને અગાઉ ધારાસભ્ય કહેતા હતા કે, વિજિલન્સ તપાસ કરાવીને ભ્રષ્ટાચાર ખોલ્લો પાડવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરતાં હતા જો કે, હજુ સુધી કોઇની સામે કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ભ્રષ્ટાચાર કરેલ હોવાથી લોકોની સમક્ષ સત્ય આવતું નથી અને અધિકારીઓ કોંગ્રેસને માહિતી ન આપીને સત્યને લોકોની સામે આવવા દેતા નથી.

જો કે, પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, હાલમાં કોંગ્રેસનાં આગેવાનોએ જે માહિતી માંગેલ હતી તે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવેલ ન હતી જેથી માહિતી આપવામાં આવી નથી જો યોગ્ય રીતે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવશે તો માહિતી આપી દેવામાં આવશે તેવું કહ્યું છે. જો કે, અગાઉ પાલીકમાં કેવી રીતે કોને કઈ માહિતી આપવામાં આવતી હતી તે સહુ કોઈ જાણે છે પરંતુ છેલ્લા પાંચેક મહિનાથી પાલિકામાંથી જે માહિતી કોંગ્રેસને આપવામાં આવેલ નથી તે આગામી  સમયમાં કયારે આપવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News