મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત


SHARE











મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી)ના સભ્યોની કુટુંબ યાદી અપડેટ કરવા કવાયત

મોરબીમાં આવેલ શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળામાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોની કુટુંબની માહિતી અપડેટ કરવાનું એક અભિયાન 13, ડિસેમ્બર સુધીમાં હાથ ધરવવામાં આવ્યું છે. જેથી કરીને નોંધાયેલા જ્ઞાતિ સભ્યોના કુટુંબની માહિતી નામ, સરનામું, મોબાઈલ નંબર, કુટુંબની સંખ્યા વગેરે જેવી વિગતો વહેલી તકે આપવામાં આવે તે જરૂરી છે ત્યાર બાદ તે માહિતીને અપડેટ કરવામાં આવશે જેથી આગામી 13, ડિસેમ્બર શુક્રવાર સુધીમાં જ્ઞાતિની ભોજનશાળા (વાડી) એ સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 માં સભ્યના કુટુંબની માહિતીને અપડેટ, સુધારો કે ફેરફાર કરવામાં આવશે. સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છે.

તેમજ જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો. ડૉ. હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ,ભાતૃભાવને કારણે  ઈચ્છા હતી કે, આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવું છે. આ ઈચ્છા તેમના પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈ પૂરી કરવાના છે. અને આગમી તા 15/12 રવિવારના રોજ બપોરે 11:30 કલાકે જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી વાડીએ જ્ઞાતિ સભ્ય જ્યારે કુટુંબની માહિતી આપવા માટે આવે ત્યારે આમંત્રણ પત્રક અને ભોજન પાસ આપવામાં આવશે. તેવું જ્ઞાતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદીમાં જણાવ્યુ છે.




Latest News