મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા લેનારા યુવાનના પત્નીને માર મારનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ


SHARE











મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને રૂપિયા લેનારા યુવાનના પત્નીને માર મારનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ

મોરબીમાં રહેતા યુવાનને કેન્સરની બીમારી છે અને તેના પિતાને પણ કેન્સર હતું જેથી કરીને દવાખાનાના કામ માટે પૈસાની જરૂર હતી અને આ યુવાને તેના મિત્ર પાસેથી 4.50 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા જો કે, તેના પિતાનું કેન્સરના લીધેલ અવસાન થયું હતું અને તેની નોકરી જતી રહી હતી જેથી વ્યાજખોરને તે સમયસર રૂપિયા ન આપી શકતા યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની તેમજ તેની પત્નીને ઘરે આવીને વ્યાજખોરે ફડાકા માર્યા હતા જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

ગુજરાતમાં વ્યાજના દૂષણના લીધે અનેક પરિવારના માળા વિખાઈ ગયેલ છે. અને અનેક પરિવારો વ્યાજખોરના ત્રાસના લીધે ઘર છોડીને જતાં રહ્યા હોય તેવી પણ ઘટનાઓ બનેલ છે તેવામાં મોરબીમાં આવેલ રાજનગરમાં સંગાથ પેલેસ ફ્લેટ નં. 501 માં રહેતા અને સોલાર કંપનીમાં ડીઝાયનર અને માર્કેટીંગ સ્ટાફ તરીકે કામ કરતાં જયદીપભાઈ વાલજીભાઈ માણસુરીયા (36)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા રહે. શકત શનાળા મોરબી વાળની સામે ફરિયાદ નોંધાવેલ છે

જે ફરિયાદમાં યુવાને જણાવ્યુ છે કે, તેને છેલ્લા આઠેક વર્ષથી બ્લડ કેન્સર હોય તેની અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર ચાલી રહી છે. જો કે, તેના પિતાને મોઢાનું કેન્સર હતું જેથી કરીને આ યુવાનને રૂપિયાની જરૂર હતી અને તેને તેના મિત્ર જયસુખભાઈ મિયાત્રા પાસેથી 4.50 લાખ 20 ટકા વ્યાજે લીધેલ હતા જેની સામે અત્યાર સુધીમાં 5.50 લાખથી વધુ ચૂકવી દીધેલ છે તો પણ વધુ 4.50 લાખની માંગણી કરીને ફરિયાદી પાસેથી લીધેલા ચેકને બેંકમાં જમા કરાવીને ચેક રિટર્નનો કેસ કરેલ છે.

જો કે, આ યુવાનના પિતાનું કેન્સરના લીધે મોત થયું છે અને તેની નોકરી પણ જતી રહી છે જેથી તે વ્યાજ સમયસર ન ચૂકવી શકતા જયસુખભાઈ મિયાત્રા તેના ઘરે આવ્યો હતો ત્યારે યુવાન હાજર ન હોય તેની માતા અને પત્નીને ગાળો આપી હતી અને ફરિયાદીના પત્નિ પુનમબેનને વ્યાજના પૈસાની ઉઘરાણી માટે ત્રણ ફડાકા માર્યા હતા. જે બાબતે ફરિયાદીએ આરોપીને ફોન કરતાં આરોપી તેના ઘર પાસે આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની તેમજ મોરબીમાં નહી રહેવા દેવાની ગર્ભીત ધમકી આપી હતી.

જો કે, યુવાને ફરિયાદ નોંધાવતાની સાથે જ તપાસનીસ અધિકારી પીએસઆઈ સી.એમ. કરકર અને તેની ટીમે આરોપી જયસુખભાઈ ઉર્ફે જશભાઇ રજનીકાંતભાઈ મિયાત્રા (30) રહે. શનાળા મંદિર પાસે મોરબી મૂળ નગાવલાડીયા આદિપુર કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય રીતે દવાખાનના કામ માટે કે પછી ધંધા માટે લોકો રૂપિયા વ્યાજે લેતા હોય છે પરંતુ ગેરકાયદે વ્યાજના ધંધા કરનારા શખ્સો દ્વારા આવા જરૂરિયાતમંદો પાસેથી લાકડા જેવુ વ્યાજ લેવામાં આવે છે અને જો વ્યાજના રૂપિયા ન આપે અથવા તો હપ્તો સમયસર ન આપવામાં આવે તો જાનથી મારી નાખવા સહિતની ધમકીઓ આપવામાં આવે છે.






Latest News