મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાને અને લગ્નમાં જવાનું કહીને નીકળેલ યુવાન બાપાસીતારામ ચોક ખાતેથી ગુમ


SHARE











મોરબીમાં દુકાને અને લગ્નમાં જવાનું કહીને નીકળેલ યુવાન બાપાસીતારામ ચોક ખાતેથી ગુમ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે દુકાને જાવ છું અને ત્યાંથી લગ્ન પ્રસંગમાં જવાનું કહીને નીકળ્યા બાદ છેલ્લા ચાર દિવસથી યુવાન ગુમ થઈ ગયેલો હોવાથી પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવ્યા બાદ પરિવારજનો દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાય છે.

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ ભીમાણી પટેલ નામના ૪૦ વર્ષીય વ્યક્તિએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવીને જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર મૌલિક ભરતભાઇ ભીમાણી (ઉમર ૨૦) રહે.ખાનપર વાળો મોરબીના રવાપર રોડ બાપાસીતારામ ચોક ખાતે આવેલ વન સેન્ટર કાપડની દુકાન જવા ગત તા.૨૬-૧૧ ના સવારે નવેક વાગ્યે નીકળ્યો હતો અને તે ત્યાંથી લગ્ન પ્રસંગે બહાર જવાનો છે. તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો જો કે તે પરત ફર્યો ન હોય પરિવારજનો દ્વારા ઘરમેળે શોધખોળ કરવામાં આવી હતી.છતાં પણ મૌલિક ભીમાણીનો ક્યાંથી પતો લાગ્યો ન હોવાથી તેના પિતા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી અને હાલ તેની આગળની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના નવી પીપળી ગામે રામજી મંદિર નજીક રહેતા ગણેશભાઈ પ્રેમજીભાઈ જેઠલોજા નામના ૭૬ વર્ષના આધેડ બાઈકમાં બેસીને રણછોડગઢ જતા હતા ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થતા ડાબા પગના ભાગે ફેક્ચર થતા તેઓને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બે બાઇક અથડાતા ઇજા

મોરબીના નજરબાગ રોડ ઉપર આવેલ જોડીયા હનુમાન પાસે તા.૨૭ ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં બે બાઇક અથડાયા હતા જે બનાવમાં કપિલ મહેન્દ્રભાઈ ત્રિવેદી (૨૯) રહે.મારુતિનંદન પાર્ક સોસાયટી નવલખી ફાટક પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલ ખાતે તેના સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસે વિશાલ ફર્નિચર નજીક રહેતા અસ્મિતાબેન પ્રવીણભાઈ ખીમાણીયા નામની ૨૬ વર્ષીય મહિલાને તા.૨૭ ના બપોરના ત્રણેક વાગ્યના અરસામાં ચાર લોકો દ્વારા મૂઢ માર મારવામાં આવ્યો હતો.જેથી ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા પોલીસ સ્ટાફના વી.કે.ચાવડા દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News