મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા નજીક થાર ગાડી પલટી મારી જતાં સુત્રાપાડાના અમરાપુર ગામના યુવાનનું મોત: બે ને ઇજા


SHARE











મોરબીના સનાળા નજીક થાર ગાડી પલટી મારી જતાં સુત્રાપાડાના અમરાપુર ગામના યુવાનનું મોત: બે ને ઇજા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામની બાજુમાં આવેલ સીએનજીના પંપ પાસેથી થાર ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ગાડીને ચાલકે વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી અને ત્યારે ગાડીમાં બેઠેલા ડ્રાઇવર સહિતના ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેમાં ડ્રાઇવિંગ કરી રહેલા યુવાનને કપાળ અને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના રહેવાસી જીગ્નેશભાઈ મૂળુભાઈ જાખોત્રા જાતે સોરઠીયા આહીર (24)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક રોહિતભાઈ જેતશીભાઈ રામ જાતે સોરઠીયા આહિર (28) રહે. ક્રિષ્ના વાડી પાછળ અમરાપુર તાલુકો સુત્રાપાડા વાળાની સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર શનાળા ગામની બાજુમાં આવેલ સીએનજીના પંપ પાસેથી રોહિતભાઈ રામની થાર ગાડી નંબર જીજે 3 એપી 3777 માં ફરિયાદી તેમજ સાગરભાઇ અને રોહિતભાઈ પસાર થઈ રહ્યા હતા દરમિયાન રોહિતભાઈએ કોઈ કારણોસર ગાડીના સ્ટેરીંગના ઉપરથી કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ફરિયાદી યુવાનને ઘૂંટણના ભાગે ઈજા થઈ હતી તેમજ સાગરભાઇને ડાબા પગના ઘૂંટણમાં અને ડાબા હાથે અને પેડુના ભાગે ઈજા થયેલ હતી જોકે રોહિતભાઈ રામને કપાળમાં જમણી બાજુએ તથા માથાને પાછળની ભાગે ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જેથી અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ યુવાનની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News