મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા-ગુજસીટોકના ગુનામાં પકડાયેલ મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીના પંદર દિવસના રીમાન્ડ મંજુર


SHARE







મોરબીના  મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીએ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ હતો જે ત્રણેય આરોપીઓનો કોર્ટમાંથી તપાસનીસ અધિકારીએ કબજો લઇને પંદર દિવસના રીમાન્ડ મેળવ્યા છે. જેથી આરોપીઓએ ગુનાને અંજામ આપીને આટલા વર્ષોથી ક્યાં ક્યાં રોકાયા હતા ?, કોણે તેને આશરો આપ્યો હતો ? તે સહિતની દિશાઓમાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી છે


મોરબીમાં વર્ષ 2021 માં આરીફ મીર અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો હતો અને 18 શખ્સની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જોકે આ ગુનામાં આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓને પકડવાના બાકી હતા જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી. દરમ્યાન આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા ત્રણેય આરોપીઓની મિલકતો જપ્ત કરવામીં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં સનાળા બાયપાસ રોડ પાસે મમુદાઢીની તા 8/9/21 ના રોજ હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ગુનામાં 30/9/21 ના રોજ આરીફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસીટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. અને સોમવાર તા 25/11/24 ના રોજ રાજકોટમાં આવેલ ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેથી કરીને  કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. જે આરોપીઓએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતુ તેમા મુખ્ય સુત્રાધાર આરીફ ગુલમામદભાઇ ધોળા જાતે મીર, મકસુદભાઇ ગફુરભાઇ સમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા જાતે કુરેશીનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટે જેલ હવાલે કર્યા બાદ હત્યા અને ગુજસીટોકના કેસની તપાસ કરી રહેલા મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા ત્રણેય આરોપીઓનો જેલમાંથી કબજો લેવામાં આવેલ છે અને રિમાન્ડની માંગણી સાથે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે ત્રણેય આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ કયા કયા રોકાયા હતા ?, તેઓને કોણે આશરો આપ્યો હતો ? તેમજ અન્ય કયા કયા ગુનાઓમાં સંડોવણી છે ? તે સહિતની દિશાઓમાં હવે તપાસનાસ અધિકારીની  ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News