ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન


SHARE











વાંકાનેરના તીથવા ગામે જીરા-અજમાના ઊભા પાકમાં માલધારીએ તેના 54 ઢોર ચરવા મૂકી દીધા: વાડી મલીકને 95 હજારનું નુકશાન

વાંકાનેરના તીથવા ગામની સીમમાં યુવાનની વાડીમાં માલધારીએ 51 ગાય અને 3 પાડીને લઈ જઈને જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી દીધી હતી અને ઊભા પાકને નુકસાન કર્યું હતું તેમજ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વાડીમાં 95 હજાર રૂપિયાની નુકસાની કરી હોવાની યુવાને હાલમાં માલધારી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અહેમદરજાભાઇ હુશેનભાઇ શેરસીયા (42)એ હાલમાં રતાભાઇ શંકરભાઈ ભરવાડ રહે. તીથવા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તીથવા ગામની સોનિયા નામની ઓળખાતી સીમમાં તેઓની વાડી આવેલ છે અને તેઓની વાડી તથા સાહેની વાડીમાં આરોપીએ પોતાની 51 ગાયો તથા 3 પાડીને લઈ જઈને ત્યાં જીરા તથા અજમાના વાવેતરમાં ચરાવી હતી અને બંને વાડીમાં ઉભા પાકમાં 95 હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે આટલું જ નહીં પરંતુ ફરિયાદી તથા સાહેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માલધારી સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મંજુબેન મહેશભાઈ સંગોડ (25) નામના મહિલાને વાડી વિસ્તારમાં ડકાયા કૂતરાએ બચકું ભરી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News