સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબીના પીપળીયા નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત: પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના પીપળીયા ગામ નજીક રેલવે સ્ટેશન સામેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને મોઢા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોડપર ગામે ભરતભાઈ જેરામભાઈ કગથરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ નથુભાઈ ડામોર (46)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 3 બીઝેડ 8254 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના પીપળીયા ગામ પાસે આવેલ રેલવે સ્ટેશનની સામેના ભાગમાંથી તેનો ભાઈ સમરિયાભાઈ નથુભાઈ ડામોર (44) રહે. હાલ મોડપર મૂળ રહે એમપી વાળો બાઈક નંબર એમપી 11 બીસી 3491 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈને મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળતી પ્રમાણે સમરિયાભાઈ ડામોરને ત્રણ દીકરી અને બે દીકરા આમ કુલ પાંચ સંતાનો છે અને અકસ્માતના બનાવના લીધે પાંચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને ઘરની કરિયાણાની વસ્તુ લેવા માટે યુવાન જતો હતો ત્યારે અકસ્માત થતાં તે યુવાનનું મોત નીપજયું છે.






Latest News