મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઉ રિક્ષા સાથે પકડાયેલ નેપાળી સામે ગુનો નોંધાયો 


SHARE











મોરબીમાં ચોરાઉ રિક્ષા સાથે પકડાયેલ નેપાળી સામે ગુનો નોંધાયો 

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ રીક્ષાની સાથે મૂળ નેપાળી બ્રાહ્મણ યુવાનને પકડ્યો હતો અને તપાસ કરતા તેની પાસે રહેલી રીક્ષા ચોરાઉ હોવાનું ખુલતા મૂળ ધણીની શોધ કરીને તેની ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સર્કીટ હાઇસથી આગળ માળીયા ફાટક પાસેથી એક શંકાસ્પદ સીએનજી રીક્ષા નંબર જીજે ૧૩ એવા ૧૯૪૬ સાથે મિનપ્રસાદ ઉર્ફે રોહિત વસંતપ્રસાદ ભુષલ જાતે નેપાળી બ્રાહ્મણ (ઉમર ૧૯) હાલ રહે.મોરબી વીસીપરા ચારગોડાઉન પાસે વાળો મળી આવ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેની પાસે રહેલ રિક્ષાના તેની પાસે કોઈ આધારભૂત કાગળ ન હોય પૂછપરછમાં રિક્ષા ચોરાઉ હોવાનું ખુલ્યુ હતું.જેથી કરીને રીક્ષા નંબરને આધારે રિક્ષાના માલિકની શોધખોળ ચલાવતાં દિવાનભાઈ ગણેશભાઈ ઝાપડીયા કોળી રહે.સર્કિટ હાઉસ સામે મોરબી-૨ વાળાની રિક્ષા હોવાનું ખૂલ્યું હતું અને તેઓની રીક્ષા ચોરી થયેલ હોય દિવાનભાઈ જાખડીયાની ફરિયાદ લઈને મિનપ્રસાદ વસંતપ્રસાદ ભુષલ નેપાળી બ્રાહ્મણ સામે રૂપિયા ૮૦ હજારની ઉપરોક્ત નંબરની રીક્ષા ચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હેડ કોસ્ટેબલ ડી.એચ.બાવળીયા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રામુભાઈ મગનભાઈ સાટોડા નામનો ૧૫ વર્ષીય બાળક મોરબીના સામાકાંઠે માળીયા ફાટક નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઇજાઓ થતા ૧૦૮ વડે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે વૃંદાવનપાર્ક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ દેવજીભાઈ ઘોડાસરા નામના ૫૮ વર્ષીય આધેડ સોસાયટી વિસ્તારમાં બાઈક લઈને જતા હતા ત્યારે વણાંકમાં બાઈક સ્લીપ મારી જતાં ઇજાગ્રસ્ત રાજેશભાઈ ઘોડાસરાને સારવારમાં લઈ જવાયા હતા.






Latest News