જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ટંકારામાં હાથ ઉછીના લીધેલ રૂપિયા સામે આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE











ટંકારામાં હાથ ઉછીના લીધેલ રૂપિયા સામે આપવામાં આવેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

ટંકારામાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ ની ફરીયાદનો કેસ ટંકારાની કોર્ટમા ચાલી ગયો હતો જેમાં આરોપીને કોર્ટે દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ ૨,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવાનો તથા રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ આરોપી ધોળકીયા પાર્થ ચુનીલાલને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મીત્ર ચીરાગભાઈ પ્રદિપભાઈ સોલંકી પાસેથી હાથ ઉછીના લીધેલ હતા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી ધોળકીયા પાર્થ ચુનીલાલે લેણી રકમ ચુકવવા ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ હતી. ત્યારબાદ આરોપી વિરૂધ્ધ કેશ ચાલી ગયેલ હતો જેમાં ફરીયાદી તરફે મોરબીના વકીલ નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા યાજ્ઞિકા મનસુખભાઈ દેવમોરારી રોકાયેલ હતા અને કેસ લડેલ હતા જેમાં વકીલે કરેલ ધારદાર દલીલ તેમજ રજુ કરેલ હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમના ૨,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવાનો તથા આ રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.






Latest News