તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત


SHARE











ટંકારાના ડેમી -૨ ડેમ પાસે કૂવામાં પડી જવાથી વૃધ્ધાનું મોત

ટંકારા તાલુકામાં આવેલ ડેમી -૨ ડેમ પાસે આવેલ કુવામાં પડી જવાથી વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે આવેલ સ્લોગન કારખાનામાં રહેતા નરેશગીરી ચંદુગીરી ગોસ્વામી જાતે બાવાજી (ઉંમર ૩૧) એ ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી કે, તેઓના માતા કંચનબેન ચંદુગીરી ગોસ્વામી (ઉંમર ૬૫) સ્લોગન કારખાનાની સામે આવેલ ડેમી-૨ ડેમ પાસે આવેલ કૂવામાં પડી જતાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક મહિલા માનસિક અસ્વસ્થ હોય કોઈ કારણોસર કૂવામાં પડી ગયા હોવાનું હાલમાં તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે






Latest News