મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીના વીમાધારકને વળતરની રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીના વીમાધારકને વળતરની રકમ ચુકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના વતની કમલેશભાઈ પી. રાચ્છના પત્નીનો સ્ટાર એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સમાં ફેમિલી વીમો હોય અને કોવિડ દરમ્યાન સારવાર લીધી હતી અને તેનો ખર્ચ 1,54,486 થયો હતો જે વીમો આપવાની કંપનીએ ના પાડતા ગ્રાહક કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં વ્યાજ સહિત રકમ ચૂકવવા માટે આદેશ કરવામાં આવેલ છે.

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના વતની કમલેશભાઈ પી. રાચ્છે સ્ટાર એન્ડ એલાઈડ ઇન્સ્યોરન્સમાં ફેમિલી વીમો લીધો હતો. અને તેના પત્ની અસ્મિતાબેન રાચ્છએ તા. 9/4/2021 થી 17/4/2021 સુધી સ્વામિનારાયણ હોસ્પિટલમાં કોવિડની સારવાર લીધી હતી અને સારું થતાં વીમા કંપનીમાં ક્લેમ કરવામાં આવેલ હતી અને ખર્ચની રકમ 1,54,486 થયેલ હતી જે રકમ વીમા કંપની પાસે માગી હતી. પરંતુ વીમા કંપનીએ તા. 15/6/2021ના રોજના રેપ્યુડ લેટરથી દર્દીને જાણ કરી હતી કે હોસ્પિટલાઈઝ થવાની જરૂર નથી. આમ બહાના બતાવીને વીમો ના મંજૂર કર્યો હતો. જેથી કમલેશભાઈએ મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ કર્યો હતો અને કોર્ટે અસ્મિતાબેનને 1,54,486  અને તેમજ અન્ય ખર્ચના 5000 તેમજ  તા. 23/3/2023 થી 6 % વ્યાજ સાથે ચૂકવવા માટે આદેશ કરેલ છે.




Latest News