મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં રજવાડી પોશાક, તલવાર અને સાફા સાથે મહારેલી-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દરવર્ષે દશેરાના દિવસે રેલી અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામા આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મોરબીમાં પરંપરાગત રેલી યોજાઇ હતી અને ત્યાર બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ શનાળા શક્તિ માતાજીનાં મંદિરે યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે  વિજયા દશમીના દિવસે મહારેલી અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આજે મહારેલી અનો શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો અને બપોરે ત્રણ વાગ્યે મોરબી સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી મહારેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ જે રેલીમાં રાજપૂત ક્ષત્રિય ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અને સાફા સાથે જોડાયા હતા અને આ રેલીમાં ઘોડા પણ રાખવામાં આવ્યા હતા અને મોરબીના શકત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે આ રેલીને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ ત્યાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતુ. મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા બહાર ગામ ધાર્મિક પ્રસંગમાં હોવાથી સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની આગેવાનીમાં મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી મહારેલી નીકળી હતી અને શસ્ત્રપુજનનો કાર્યક્રમ યોજાયો હતો






Latest News