મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ


SHARE











મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ

સંપૂર્ણ રાષ્ટ્રવાદને વરેલ ભારતીય સંસ્કૃતિ પર આધારિત સમાજ રચનાનું નિર્માણના ધ્યેય સાથે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની પ્રાંતિય રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતાનું મોરબીમાં આવેલ નવયુગ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ તકે દર્શનાબેન પરમાર, અલ્પાબેન મારવણિયા, મીનાબેન વાઢેર હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશનની સાથે જ બાળકોને સુંદર મજાની કીટ આનંદનગર શાખા-મોરબી શાખા અને જામનગર શાખા દ્વારા દ્વારા પ્રમાણપત્ર આપવમે આવેલ હતા. આ તકે શૈલેશભાઈ દેત્રોજા (પ્રમુખ-મોરબી પેપર મિલ એસો.), મુકેશભાઇ ઉઘરેજા (પૂર્વ પ્રમુખ-મોરબી સિરામિક મેન્યુ. એસો.), હરેશભાઈ બોપલીયા (ઉપપ્રમુખ-ભારત વિકાસ પરિષદ-મોરબી શાખા), વિનોદભાઇ લાઠીયા (રિજિયોનલ જનરલ સેક્રેટરી-ભારત વિકાસ પરિષદ), રવીન્દ્રભાઈ ત્રિવેદી (રિજિયોનલ સેક્રેટરી સંસ્કાર-ભારત વિકાસ પરિષદ), યતીનભાઈ રાવલ (પ્રધાન આચાર્ય- નવયુગ સંકૂલ), પ્રાંત ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાવલ, દિવ્યેશભાઈ સતાસીયા, ભૂષણભાઈ ભટ્ટ, મોરબી શાખાના અધ્યક્ષ ડૉ. જયેશભાઈ પનારા, જેઠસુરભાઈ ગુજરીયા, નરેન્દ્રભાઇ ભાડલીયા, શોભનાબેન ભાડલીયા, આનંદ સિદ્ધપુરા, ધ્રુમિલભાઈ આડેસરા તથા હરિભાઇ પરમાર સહિતના હાજર રહ્યા હતા. ત્યાર બાદ પ્રાંતીય રાષ્ટ્રીય સમુહગાન પ્રતિયોગિતા હિન્દી અને સંસ્કૃત વિભાગની કૃતિઓ બંને એક સાથે શરૂ કરવામાં આવી અને સૌરાષ્ટ્રકચ્છ પ્રાંતની ૧૯ જુદી જુદી શાખાઓની વિદ્યાર્થી ટીમ દ્વારા બંને વિભાગોમાં કુલ ૩૮ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને આ સ્પર્ધામાં વિજેતા ટીમ રિજીયન કક્ષાની પ્રતિયોગિતા વડોદરામાં તા 20/10 ના રોજ યોજાશે જેમાં ભાગ લેવા માટે જશે અને સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરશે.




Latest News