મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને ઘરમાં જ ભર્યું અંતિમ પગલું


SHARE











મોરબીમાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળીને ઘરમાં જ ભર્યું અંતિમ પગલું

મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો યુવાને છૂટક મજૂરી કરતો હોય આર્થિક સંકળામણથી કંટાળીને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર વહેલી સવારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ગલ્લાભાઈ આંબલીયા (40) નામના યુવાને આજે વહેલી સવારે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાન છુટક મજૂરી કામ કરતો હોય આર્થિક સંકળામણથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળે છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો અને યુવાને અંતિમ પગલું ભરી લેતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવે છે

બાળક સારવારમાં

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક ખાતે પરિવાર સાથે રહેતો ગોવિંદ ડામોર (11) નામનો બાળક મોટો સિરામિક પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાળકને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ પર આવેલ હરી કોલ કોર્પોરેશન ખાતે રહેતો જયશંકર શાહ (35) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી તે નીચે પડી ગયો હતો જેથી ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News