મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ


SHARE













માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ

મોરબી જીલ્લાના માળીયા તાલુકા તમામ ગામોમાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગ દ્વારા 24 કલાકનો પાણીનો કાપ મૂકવામાં આવેલ છે જેથી કરીને લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને 10 દિવસમાં સમસ્યાનો નિકાલ નહિ કરવામાં આવે તો લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકના યૂથ કોંગ્રેસના પ્રમુખ સંદીપ કલારિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળીયા તાલુકાના તમામ ગામોને ૨૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તેમ છતાં પણ માળીયા તાલુકાના ગામોમાં પાણીની તંગીની સમસ્યા રહેતી હતી. જો કે, હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક પાણીનો કાપ મુકવામાં આવેલ છે. જો 24 કલાક પાણીનો કાપ મુકી પાણી વિતરણ કરવામાં આવે તો માળીયા તાલુકાના તમામ ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. જેથી માળીયા તાલુકાના તમામ ગામો સતત 24 કલાક પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ પાણીની સમસ્યાનો દિન-10 માં નિકાલ કરવામાં નહી આવે તો ના છુટકે કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News