મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે ટંકારાના જબલપુર નજીકથી દારૂ ભરેલ કાર  સાથે એક પકડાયો: 4.45 લાખનો મુદામાલ કબ્જે મોરબીના થોરાળા અને બેલા નજીક સર્જાયેલ જુદાજુદા બે જીવલેણ અકસ્માતના બનાવમાં હવે ગુના નોંધાયા મોરબીના ચાચાપર ગામે કારખાનાની કોલોનીમાં રહેતો યુવાન જમીને ઊભો થયા બાદ અચાનક ઉલટી થતાં મોત નીપજયું
Breaking news
Morbi Today

હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો


SHARE











હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો

હળવદના ખારી વાળી વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવવાની હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના ખારી વાળી વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા (ઉંમર વર્ષ 19) નામના યુવાનનો હળવદમાં આવેલ પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ગઈકાલે બાઇક લઈને નીકળી ગયા બાદ ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી દરમિયાનમાં તેનો મૃતદેહ નર્મદાની કેનાલ માંથી મળી આવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે તે અંગેની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.






Latest News