મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા


SHARE











વાંકાનેરના ભેરડા ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે 19/7/24 ના રોજ આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મૃતકના પરિવારને સરકારી સહાય મળે તેના માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના ટીડીઓ સહિતની ટીમે મૃતકના પરિવારને યુપીના રાનીગંજ વિસ્તારમાંથી શોધીને તેના પત્ની સરિતાબેન વિરેન્દ્રભાઈ યાદવને સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાશાબેમ મેર તેમજ અધિકારી સહિતના હાજર રહ્યા હતા.






Latest News