મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા


SHARE











વાંકાનેરના ભેરડા ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે 19/7/24 ના રોજ આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મૃતકના પરિવારને સરકારી સહાય મળે તેના માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના ટીડીઓ સહિતની ટીમે મૃતકના પરિવારને યુપીના રાનીગંજ વિસ્તારમાંથી શોધીને તેના પત્ની સરિતાબેન વિરેન્દ્રભાઈ યાદવને સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાશાબેમ મેર તેમજ અધિકારી સહિતના હાજર રહ્યા હતા.






Latest News