વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી-હળવદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ


SHARE











મોરબી-હળવદ પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઇ

સરકાર દ્વારા સમગ્ર દેશ અને રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બર થી સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અન્વયે મોરબી જિલ્લામાં પણ વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા મોરબીને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનમાં સ્વચ્છતા આપણો સ્વભાવ અને આપણા સંસ્કાર બને તે માટે બાહ્ય સ્વચ્છતાની સાથે આંતરિક સ્વચ્છતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે લોકોને આંતર મનથી સ્વચ્છ બનાવવા માટે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાં તથા હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ શિબિરમાં શાળાના બાળકો હોંશે હોંશે જોડાયા હતા અને વિવિધ યોગ અને આસનો કર્યા હતા. યોગ શિબિર અન્વયે સ્થળ પર સ્વચ્છતા સેલ્ફીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં બાળકો એ સ્વચ્છતા ની થીમ સાથે સેલ્ફીઓ લીધી હતી.






Latest News