મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો


SHARE







વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો

વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ખાસ સભામાં મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને તેઓનો ચાર્જ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચને આપવામાં આવ્યો હોવાનું ટીડીઓ પાસેથી જાણવા મળેલ છે.

વાંકાનેર તાલુકાના હસનપર ગામના મહિલા સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 અન્વયે અવિશ્વાસની દરખાસ્ત હસનપર ગ્રામ પંચાયતમાં તા. 10/9/24 ની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 (2) ની જોગવાઈ મુજબ પ્રસ્તાવ પસાર થયાના ત્રણ દિવસ પછીથી સરપંચની મુદત પૂર્ણ થઈ જાય છે. જેથી કરીને વાંકાનેરના ટીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 55 (1) હેઠળ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ભાવાભાઈ સારલાને તા. 14/9/2024 થી જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહીં ત્યાં સુધી સરપંચના કાર્યો અને ફરજ બજાવવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે






Latest News