ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો


SHARE











વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો

વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ખાસ સભામાં મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને તેઓનો ચાર્જ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચને આપવામાં આવ્યો હોવાનું ટીડીઓ પાસેથી જાણવા મળેલ છે.

વાંકાનેર તાલુકાના હસનપર ગામના મહિલા સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 અન્વયે અવિશ્વાસની દરખાસ્ત હસનપર ગ્રામ પંચાયતમાં તા. 10/9/24 ની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 (2) ની જોગવાઈ મુજબ પ્રસ્તાવ પસાર થયાના ત્રણ દિવસ પછીથી સરપંચની મુદત પૂર્ણ થઈ જાય છે. જેથી કરીને વાંકાનેરના ટીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 55 (1) હેઠળ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ભાવાભાઈ સારલાને તા. 14/9/2024 થી જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહીં ત્યાં સુધી સરપંચના કાર્યો અને ફરજ બજાવવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે






Latest News