વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 4219 કેસોનો નિકાલ: 10.04 કરોડનું સેટલમેન્ટ થયું


SHARE











મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 4219 કેસોનો નિકાલ: 10.04 કરોડનું સેટલમેન્ટ થયું

મોરબીના લાલબાગમાં આવેલ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 11,430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં 4,219 કેસનો નિકાલ કરવામાં આવેલ છે અને 10.04 કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.

મોરબીમાં જે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતનમાં મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મૈયડા, કાનૂની સલાહના લીગલ સચિવ ડી.એ. પારેખ, પ્રિન્સિપાલ ફેમિલી જજ એ.એમ. વાનાણી તથા એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજ પંડ્યા સાહેબ તથા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને તેઓની હાજરીમાં પ્રી-લીટીગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના તેમજ હાઇકોર્ટ દ્વારા ટાર્ગેટેડ કેસ. અને ટ્રાફીકને લગતા ઈ-ચલણના કેસ આમ કુલ મળીને 11,430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં 4,219 કેસનો નિકાલ કરવામાં આવેલ છે. અને આ કેસનો નિકલ થતાં 10,04,06,275 નું લોક અદાલતના મધ્યમથી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. 






Latest News