મોરબીના આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ સામે આંગણવાડી વર્કરોમાં રોષ: 10 વર્કર-હેલ્પર સામૂહિક રાજીનામા ધરે તેવી શક્યતા મોરબીમાં મચ્છુકાંઠા સમસ્ત રબારી સમાજ ટ્રસ્ટ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ હળવદના રાણેકપર ગામે સરપંચના પતિની દુકાનમાંથી 1,632 બોટલ દારૂ ઝડપાયો, મોરબીના વાંકડા ગામ નજીકથી રેઢી મળેલ કારમાંથી 800 લીટર દેશી દારૂ ઝડપાયો મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતના આમરણાંત ઉપવાસ આંદોલનમાં હવે નારી શક્તિ જોડાઈ: કુલ 9 લોકોએ કર્યો અન્નનો ત્યાગ મોરબીના દલવાડી સર્કલ પાસે સગીરા સાથે દુષ્કર્મ, આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં દુષ્કર્મનો ભોગ બનેલ યુવાતીએ ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાની બે મહિલા સહિત 3 સામે ફરિયાદ હળવદના રણમલપુર ગામે વાડીએ જતાં યુવાનના રસ્તામાં અવરોધ ઉભો કરનારા બે શખ્સો સામે ગુનો નોંધાયો હળવદ નજીકથી 9,456 બોટલો દારૂ ભરેલ આઇસર સાથે એક ઝડપાયો, 52.89 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન


SHARE











મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસ.પી. રોડ ઉપર અરવિંદભાઈ બારૈયા અને ત ટીમે દર વર્ષની જેમ આ વર્ષે પણ "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અને ત્યાં વધુમાં વધુ ભક્તો દર્શન અને આરતીનો લાભ મળે તેના માટે સિધ્ધી વિનાયક કા રાજા માં જુદાજુદા બે સમયે આરતી કરવામાં આવે છે. ત્યારે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને આરતીનો લાભ લીધેલ હતો. વધુમાં માહિતી આપતા ઓમ બારૈયાએ જણાવ્યુ હતું કે, આ વખતે ગણેશ મહોત્સવની સાથે પર્યાવરણ અને પ્રકૃતિના જતનનો મેસેજ પણ સમાજમાં જાત તે માટે જંગલની થીમ ઉપર સિધ્ધી વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. વધુમાં એવું પણ જણાવ્યુ હતું કે, દરરોજ 10 થી 12 હજાર જેટલા લોકો ગણપતિ બાપાના દર્શન અને આરતીનો લાભ લેવા માટે આવે છે.






Latest News