મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ

તાજેતરમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયેલ છે અને દર વર્ષે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. આજે પ.પૂ. બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાન હાજરીમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા દેરાસરેથી ચાંદીની પાલખીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક, નાગર દરવાજા ચોક, સરદાર રોડ, સવાસર પ્લોટ થઈને આ નગરયાત્રા મોરબીના શનાળા રોડે આવેલ જૈન દેરાસરે પહોચી હતી અને મોરબી દરબારગઢ સંઘ દ્વારા આ શોભાયાત્રાનું આયાઓજ્ન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પારણાનો લ્હાવો શાહ પરિવારેપાલખીનો લ્હાવો અજમેરા પરિવારે અને સારથીનો લ્હાવો સોલાણી અને વોરા પરિવારે લીધો હતો. તેવું સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી પાસેથી જાણવા મળેલ છે






Latest News