સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં વરસાદના લીધે ખેડૂતોનો પાક નિષ્ફળ જતાં વળતર ચુકવવા ભૂપેન્દ્રભાઈ ગોધાણીની રજૂઆત

મોરબી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકારી વળતર ચુકવવામાં આવે તેવી માગ મોરબી જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવેલ છે

હાલમાં જિલ્લા પંચાયત વિપક્ષના નેતા ભૂપેન્દ્રભાઈ ગોધાણીએ ડીડીઓને રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના દરેક તાલુકામાં 25 ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. જેમાં કપાસ, તલ, બાજરી, જુવાર, મગફળી વગેરે પાક અતિ વરસાદ અને પવનના લીધે નિષ્ફળ ગયા છે. જેથી તેનો સર્વે કરાવીને તાત્કાલિક ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ સીમતળના તમામ રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે. તેના લીધે ખેડૂતો ખેતર સુધી જઈ શકતા નથી. જેથી કરીને ખેતીવાડી વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં સર્વે કરીને ખેડૂતોને પાકનું વળતર મળે અને સીમતળના રસ્તાઓ અને પુલ ઝડપથી રિપેર કરાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News