મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે


SHARE













મોરબીના ત્રણેય યાર્ડ હજુ બંધ રહેશે : તા.2 ને સોમવારથી રાબેતા મુજબ હરાજી ચાલુ થશે

મોરબી જિલ્લાના ત્રણ માર્કેટ યાર્ડ આવેલ છે.જે ત્રણેય માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમી નિમિતે મિનિ વેકેશન જાહેર કરીને તમામ કામ બંધ કરવામાં આવ્યું હતુ અને તા.30 થી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું.જે હાલના માહોલના પગલે બંધ રાખવામાં આવે છે અને આગામી તા.2 ને સોમવારથી રાબેતા મુજબ ધમધમશે તેમ જાણવા મળેલ છે.

એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તા.24 થી 29 ઓગસ્ટ સુધી મોરબી જીલ્લામાં આવેલા મોરબી, હળવદ અને વાંકાનેર માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી હતી અને તા.30 થી યાર્ડમાં હરાજી સહિતનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું યાર્ડના સતાધીશોએ જાહેર કર્યું હતું.જોકે હાલમાં વરસાદી માહોલના પગલે અને આગાહીના પગલે ખેડુતોની ઝણસ બગડે નહીં અને રસ્તાઓ ખરાબ હોય મુશ્કેલી સર્જાય નહીં તે હેતુથી મોરબી માર્કેટિંગ યાર્ડ તરફથી નિર્ણય જાહેર કરાયો છે કે યાર્ડ હવે તા. 2 ને સોમવારથી શરૂ થશે.જોકે હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા તહેવાર નિમિત્તે રવિવાર સુધી રજા જાહેર કરવામાં આવી હતી અને હવે તા.2 ને સોમવારના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ શરૂ થશે.તે રીતે જ વાંકાનેર યાર્ડમાં પણ તા.29 સુધી રજા જાહેર કરવામાં આવી હતી.પરંતુ હાલ વરસાદી માહોલ અને વરસાદની આગાહીના પગલે વાંકાનેર યાર્ડના સત્તાધીશો દ્વારા શનિવાર સુધી રજા જાહેર કરી દેવાઈ છે અને વાંકાનેર યાર્ડ પણ હવે તા. 2 ને સોમવારના રાબેતા મુજબ શરૂ થશે તેમ યાર્ડના સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

 






Latest News