મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નવા મકનસર અને વાંકાનેરના જુના રાજાવડલા ગામે મારામારી


SHARE











મોરબીના નવા મકનસર ગામે લાકડાના ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી, વાંકાનેરના જુના રાજાવડલા ગામે મારામારી

મોરબીના નવા મકનસર ગામના રહેવાસી આધેડને બે ઇસમોએ લાકડાના ધોકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નવા મકનસર ગામે વાદી પરામાં રહેતા જાલમનાથ રજુનાથ પઢીયાર (ઉ.વ.૪૦) નામના આધેડે આરોપી ઠાકોરનાથ બાબુનાથ સોલંકી અને ભૂપતનાથ બાબુનાથ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ જાલમનાથને ગાળો આપી ઢીકાપાટુંનો મારમારી આરોપી ઠાકોરનાથે લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપી ભૂપતનાથ ઝાપટ મારી હતી મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે. 

વાંકાનેરના જુના રાજાવડલા ગામે મારામારી બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે મારામારીની ઘટના બની હતી જેમાં બંને પક્ષે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

જુના રાજાવડલા ગામના રહેવાસી જયેશભાઈ ચતુરભાઈ આંતરેસાએ આરોપી છના લાલજી સોલંકી, નકુલ અશોક સોલંકી અને મિલન વિક્રમ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અગાઉ બોલાચાલી ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ત્રણેય ઇસમોએ લાકડી વડે માર મારી ઈજા કરી હતી જયારે સામાપક્ષે છનાભાઇ લાલજીભાઈ સોલંકીએ આરોપી જયેશ ચતુર આંતરેસા, ચતુર આંતરેસા અને મંજુબેન ચતુર આંતરેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અગાઉ બોલાચાલી ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ત્રણેય ઇસમોએ આધેડને લાફા મારી ગાળો આપી લાકડી લઈને મારવા દોડ્યા હતા વાંકાનેર સીટી પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.






Latest News