મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે પડેલા એક્ટિવા ઉપર કલર ઉડતા સમજાવવા ગયેલા યુવાનને માથામાં ચુનારડાના બે ઘા ઝીકિ દીધા


SHARE











મોરબીમાં ઘર પાસે પડેલા એક્ટિવા ઉપર કલર ઉડતા સમજાવવા ગયેલા યુવાનને માથામાં ચુનારડાના બે ઘા ઝીકિ દીધા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા યુવાનનું એકટીવા તેના ઘર પાસે પડ્યું હતું અને તેની પાડોશમાં રહેતા વ્યક્તિના ઘરે કલર કામ ચાલુ હતું ત્યારે કલરના છાંટા યુવાનના એકટીવા ઉપર પડ્યા હતા જે બાબતે યુવાન તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે સામેવાળાએ ગાળો આપીને ઝપાઝપી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા કડિયા કામમાં વપરાતા ચુનારડા વડે માથામાં બે ઘા મારતા યુવાનને માથામાં ઇજા થયેલ હતી અને માથામાં ચાર ટાંકા આવ્યા હતા ત્યાર બાદ યુવાને બે શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ નીલકમલ સોસાયટીમાં રહેતા અજયભાઈ ખેંગારભાઈ સોલંકી (48)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેશભાઈ રહે. નીલકમલ સોસાયટી અને એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, નરેશભાઈના ઘરે કલર કામ ચાલુ હોય ફરિયાદી અજયભાઈએ પોતાના ઘર પાસે તેનું એકટીવા મૂક્યું હતું અને તેના ઉપર કલરના છાંટા ઉડ્યા હતા જેથી કરીને તે બાબતે નરેશભાઈ સાથે વાત કરવા અને સમજાવવા માટે થઈને ફરિયાદી ગયેલ હતો ત્યારે નરેશભાઈએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી તેમજ ઢિકાપાટુનો માર માર્યો હતો. ત્યારે નરેશભાઇની સાથે રહેલા અજાણ્યા શખ્સે ફરિયાદીને માથાના ભાગે કડિયા કામમાં વપરાતા ચુનારડા વડે બે ઘા માર્યા હતા જેથી ફરિયાદીને માથામાં ઇજા થઇ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને તેને માથામાં ચાર ટાંકા આવ્યા હતા હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.એ. ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News