મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો


SHARE











મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે મોરબીમાં અમૃતપાર્ક સોસાયટીમાં શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે અને તેનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા કરવામાં આવ્યું છે

મોરબીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે લોક ડાયરો યોજાનાર છે લોક ડાયરો રાત્રે ૯ કલાકે અમૃત પાર્ક સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે યોજાશે અને લોકડાયરામાં ભજનીક ભાવેશ પટેલ, સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દેવેન વ્યાસ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક નિતીનભા ગઢવી, સિંધાભાઈ ભરવાડ, મહેશ મારાજ, પ્રવીણ મહારાજ અને મંજીરાના માણીગર રામભાઈ પ્રજાપતિ પોતાની કલા રજૂ કરશે તેવું દેવેનભાઇ વ્યાસે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News