માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો


SHARE











મોરબીમાં કુબેરનાથ દાદાને તિરંગો શણગાર: કરણી સેનાએ વૃદ્ધાશ્રમમાં સ્વતંત્ર પર્વ ઉજવ્યો

મોરબીમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ત્યારે કુબેરનાથ દાદાની મંગલા આરતી બાદ રુદ્ર અભિષેક અને ત્યારબાદ દીપકભાઈ પંડ્યા અને પરેશભાઈ વજેરીયાના યજમાન પડે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. અને મંદિરના પટ્ટાગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે મહંત પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને મંદિરના કુબેરનાથ દાદાને તિરંગા ધ્વજ જેવો શણગાર કરવામાં આવ્યો હતો તેવું મંદિરના મહંત ગુલાબગીરીએ જણાવ્યુ છે તો મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધની સાથે 15 મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે વડીલોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. ત્યારે જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા.




Latest News