ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે

મોરબીના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનની હરરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ સ્થળ ઉપર પાણી ભરેલ છે જેથી કરીને સોઇલ ટેસ્ટ કરવા માટેની માંગ કરી હતી જેથી શુક્રવારે હરરાજી કરવામાં આવી ન હતી અને હવે શનિવારે રફાળેશ્વર મેળા મેદાન માટે હરરાજીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે તા 16 ના રોજ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ મેળાના મેદાનમાં પાણી ભરેલ છે જેથી કરીને સરકારની એસોપી મુજબ પહેલા જમીનનો સોઇલ ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી હરરજી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને કાલે તા 17 ના રોજ રફાળેશ્વર મેળા મેદાન માટે સવારે 11 કલાકે હરરાજી રાખવામા આવેલ છે. તેવું જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચની યાદીમાં જણાવ્યુ છે.






Latest News