હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદી પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ


SHARE











મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદી પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ

હાલ ચાંદીપુરા વાયરસનો કહેર છે ત્યારે મોરબીની પટેલ કન્યા છાત્રાલયની અંદર જમા થયેલું વરસાદી પાણીનો રોડ ઉપર જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે.! મોરબીના નાક સમા વિસ્તાર છાત્રાલય મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ પાછળ મેઈન રોડ ઉપર ઘણા વખત થયા ગંદા અને ભૂગર્ભના અતિશય દુર્ગંધયુક્ત પાણી મેઈન રોડ પર છોડતા ગંદકી થઇ રહી છે.અત્યારે ચાલતા ચાંદીપુરા, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગ ફેલાવાની શક્યતા ઘણી વધારે છે.ત્યારે ત્યાંના દુકાનદારો અને રહેણાંકના લોકોમાં રોષ ફેલાયો છે.

અહીં તંત્રના વાંકે કે કોઈ બીજાના વાંકે છાત્રાલય મેઈન રોડ ઉપર આવેલ આર.ઓ.પટેલ ગર્લ્સ કોલેજના ગ્રાઉન્ડમાંથી બહાર મેઈન રોડ પર અતિશય દુર્ગંધ વાળું ગટર જેવું પાણી દરોજ છેલ્લા ૧૫ દિવસ થયા રોજ રાત પડે કે જેવા વરસાદ ના છાંટા ચાલુ થાય તરત જ પાણીના મોટા પાઇપ વડે મેઈન રોડ પર છોડવામાં આવે છે..! અને તે પાણી મેઇન છાત્રાલય રોડ ઉપર થઇને છેકે ઓમ શાંતિ સ્કૂલના ચોક પાસે થઈને મેઈન શનાળા રોડ સરદાર બાગ સુધી પહોંચે છે.જેથી છાત્રાલય મેઇન રોડ પર આવેલ્ સોસાયટીના રહીશો, દુકાનધારકો અને ગ્રાહકો અને ખાસ ત્યા આવેલ ઘણી સ્કૂલોના છોકરા-છોકરીઓ અને નાના બાળકોને આ ડહોળા અને અતિ દુર્ગંધવાળા પાણીમાં ના છૂટકે પગ મુકીને પસાર થવું પડે છે.છતાં છાત્રાલય દ્વારા તેના નિકાલની બીજી કોઈ વ્યવસ્થા કરાતી નથી.




Latest News