ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત​​​​​​​ 


SHARE











મોરબીમાં નટરાજ ફાટક પાસે અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું સારવારમાં મોત 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી જૂની પોસ્ટ ઓફિસ તરફ જવાના રસ્તા ઉપર થી બાઇક લઈને પસાર થતા વૃદ્ધના બાઇકને પાછળથી આવી રહેલી બાઈકના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને વૃદ્ધને ઈજાઓ થઈ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા વૃદ્ધનું મોત નિપજ્યું છે. જેથી કરીને મૃતકના દીકરાએ અકસ્માત સર્જનાર સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી હોય તો મને મોરબી નજીકના નવી ટિંબડી પાસે આનંદ હોટલની બાજુમાં રહેતા શૈલેષભાઈ રતનસંગભાઈ જારીયા જાતે કારડીયા રાજપુત (ઉંમર ૩૩)એ બાઇક નંબર જીજે ૩૮ અરબી ૩૩૭૭ નાં ચાલક જયદીપભાઇ દિલીપભાઈ અકબરી જાતે પટેલ (ઉંમર ૨૪) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પરશુરામ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના પિતા રતનસંગભાઈ અમરસંગભાઈ જારીયા (ઉંમર ૬૬) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ ડી ૭૩૩૮ લઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટક થી જૂની પોસ્ટ ઓફિસ જવાના રસ્તા ઉપરથી પસાર થતા હતા ત્યારે ગત ૭/૧૦ ના રોજ સાંજના આઠ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના બાઈકથી તેઓના પિતાના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને તેમાં રતનસંગભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેથી કરીને અકસ્માતના બનાવની શૈલેષભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે જયદીપભાઇ અકબરીની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News