જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય


SHARE











મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા પરિવારની સાથે રહેતી ગૌ માતાની બીમારીના લીધે અવસાન થતાં તેને ઘર નજીક જ સમાધિ આપવામાં આવી હતી અને ઘરના સભ્યોની જેમ જ સાથે રહેતી ગાય માતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા રાતાભરે ગામે રહેતા ચંદુભાઈ લક્ષ્મણભાઈ ખાવડીયા નામના ખેડૂત પરિવારને ત્યાં રહેતી ગાય માતાનું અવસાન થતા તેઓના પરિવાર દ્વારા ગાય માતાની સમાધિ આપવામાં આવી હતી વધુમાં ચંદુભાઈ ખાવડીયાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ એક નાની વાછરડી વર્ષો પહેલા લાવ્યા હતા અને તે છેલ્લા 35 વર્ષથી તેઓની સાથે રહેતી હતી તે ગાય માતા છેલ્લા છ મહિનાથી બીમાર હતી જેથી કરીને ઘરના સભ્યની જેમ જ તેની સેવાચકરી કરી હતી અને અંતે તા 8 ના રોજ ગાય માતાનું અવસાન થતાં પરિવારની આંખોના ખૂણા ભીના થયા હતા અને એક પરિવારના સભ્યોને જેમ તેને વિદાય આપવામાં આવતી હતી. આજે જ્યારે ગાય રસ્તે રજડતી જોવા મળે છે અને દૂધ ધોઈને ગાય આખો દિવસ જાહેર માર્ગો ઉપર છૂટી મૂકી દેવામાં આવે છે તેવા લોકો માટે આ પરિવાર દીવાદાંડી સમાન છે.






Latest News