મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના આઇટીઆઇ પાસેથી 52 બોટલ-48 બીયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ: 3.27 લાખનો મુદામાલ કબજે


SHARE











મોરબીના આઇટીઆઇ પાસેથી 52 બોટલ-48 બીયરના ટીન સાથે બે શખ્સની ધરપકડ: 3.27 લાખનો મુદામાલ કબજે

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી દારૂ ભરેલ કારને પોલીસે પકડી છે અને તેમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂ બોટલો તેમજ બીયરના ટીન મળી આવેલ છે જેથી પોલીસે દારૂ બીયર અને ગાડી મળીને 3,27,550 નો મુદામાલ કબ્જે કર્યો છે અને બે શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ આઈટીઆઈ નજીકથી તળાવ પાસેથી કાર નંબર જીજે 36 એજે 4700 પસાર થઈ રહી હતી તેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 52 બોટલ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 27,550 ની કિંમતનો દારૂ તેમજ બિયર અને ત્રણ લાખની કાર આમ કુલ મળીને 3,27,550 નો મુદામાલ કબજે કર્યો હતો અને ગાડીમાં બેઠેલા ઉદય જોરૂભાઇ કપરડા જાતે કાઠી દરબાર (26) અને અનિરુદ્ધભાઈ જોરૂભાઇ કપરડા જાતે કાઠી દરબાર (24) રહે. બંને હાલ મહેન્દ્રનગર મોરબી, મૂળ રહે. કળમાદ જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં તેની પાસેથી રણુભાઈ લગધીરભાઈ કપરડા જાતે કાઠી દરબારનું નામ સામે આવ્યું છે જેથી ત્રણેય સામે ગુનો નોંધવામાં આવેલ છે અને ત્રીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે. આ કામગીરી સીટી બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ ભગવાનભાઈ રામજીભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ, રાજેશભાઈ નરસંગભાઇ, વિજયભાઈ મુળુભાઈ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, પ્રદીપસિંહ બહાદુરસિંહ અને કમલેશકુમાર ગોવિંદભાઇ દ્વારા કરવામાં આવી હતી.






Latest News