મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત


SHARE











મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બંધ હોય ચાલુ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક અગાઉ નંદકુવરબા ધર્મશાળા હતી તે જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને આ રેન બસેરાનો ઉપયોગ શરૂ કરવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષીએ કલેક્ટરને હાલમાં રેન બસેરા ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર કરોડોના ખર્ચે બનેલા રેન બસેરા બનાવવામાં આવેલ છે જો કે, તેને ગરીબ લોકોને આશરો મળે તે માટે ચાલુ કરવામાં આવેલ નથી અને બે વર્ષથી આ રેન બસેરા બંધ છે જેથી કરીને કરોડો રૂપિયાના ખર્ચે બનેલ મિલકત ઉપયોગ વગર પડી રહે અને ખરાબ થાય તેવી શકયતા છે જેથી કરીને કોઈ ટ્રસ્ટ અથવા સંસ્થાને તેની સંચાલન સોપીને ત્યાં રેન બસેરા શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News