હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ


SHARE











મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિના પહેલા ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જે ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુમ થયેલ પરણીતાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ બળવંતસિંહ જાડેજા જાતે દરબાર (55)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પત્ની શીતલબા યુવરાજસિંહ જાડેજા જાતે દરબાર (46) ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 19/5/24 ના સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે. અને હજુ સુધી તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી. જેથી કરીને ગુમ થયેલ પરણીતાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ કરી છે




Latest News