ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બિલાડીનાં ટોપ માફક ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ: તંત્ર નિદ્રાધીન


SHARE











વાંકાનેરમાં બિલાડીનાં ટોપ માફક ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ: તંત્ર નિદ્રાધીન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં દિવાળી પૂર્વે ઠેર ઠેર ફટાકડાનાં સ્ટોલ જોવા મળી રહ્યા છે ત્યારે આ જોખમી સ્ટોલની મંજૂરી કેટલા સ્ટોલ ધારકોએ લીધી છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

વાંકાનેરમાં સીઝનલ ધંધાનો ક્રેઝ વધી રહ્યો છે, દરેક તહેવાર મુજબ વેપારીઓ દ્વારા હંગામી સ્ટોલ ઉભા કરી દેવામાં આવે છે, ત્યારે ફટાકડા જેવા જોખમી સ્ટોલ પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે, કોઈ અકસ્માત બાદ જવાબદાર તંત્ર દોડે છે, પણ હજુ સુધી નગરપાલિકા કે પોલીસ દ્વારા કોઈ જ ચકાસણી કરવામાં આવી નથી, એલ. આઈ. બી. વિભાગનાં જણાવ્યા મુજબ હજુ સુધીમાં 36 ફટાકડા સ્ટોલ ધારકોને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે તમામ સ્ટોલ ધારકોએ મંજૂરી લીધી છે કેમ તેની તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી નથી ત્યારે ધંધો કરવો એ સારી બાબત છે પરંતુ ફટાકડા જેવા જોખમી ધંધા પૂર્વે કાયદાકીય મંજૂરી લેવી પણ આવશ્યક છે.






Latest News