મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો


SHARE











મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો

મોરબી જિલ્લામાં ૫ વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા છે જો કે, તેઓને વળતર મળેલ નથી અને હાલમાં ૨૫ જેટલા સીલીકોસીસ બીમારીથી પીડાઈ રહ્યા છે તો પણ તેઓને કોઈ મદદ મળી રહી નથી તે બાબત ત્યારે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા માનવ અધીકાર પંચ સમક્ષ ગત ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની બેઠકમાં સીલીકોસીસની ફરીયાદ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને ઔધ્યોગિક સલામતી અને આરોગ્યને ૬ અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. અને પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ છ અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા વધુ એક તક આપી છે. હવે ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે પોતે લીધેલા પગલાં અને તેમાં મળેલ ઘોર નિષ્ફળતાના કારણો પંચને જણાવી આગામી દીવસોમાં આ બાબત શું કરવાના છે તેની વીગત આપવા માટે સીલીકોસીસ પીડિત સંઘની યાદીમાં જણાવ્યું છે.






Latest News