ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત


SHARE











ટંકારાના અમરાપર પાસે નદીના પાણીમાં ડૂબી જવાથી ૩ વર્ષની બાળકીનું મોત

ટંકારા તાલુકાના અમરાપર ગામ પાસે વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં અકસ્માતે પડી જવાના કારણે ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેથી કરીને તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના અમરાપર ગામે ઈકબાલભાઈ અલ્લારખાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મહેશભાઈ બિલાળાની ત્રણ વર્ષની દીકરી રાધિકાબેન કોઈ કારણોસર વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં અકસ્માતે ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા બાળકીના મૃતદેહને નદીના પાણીમાંથી કાઢીને પી.એમ. માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના થોરાળા ગામે અમૃતભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સંગીતાબેન મુકેશભાઈ ધાણાક (ઉંમર ૨૦) કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેઓને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે સંગીતાબેનનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને સંતાનમાં ત્રણ મહિનાની એક દીકરી હોવાનું જાણવા મળેલ છે જોકે તેઓએ કયા કારણોસર ઝેરી દવા પીધેલ છે તે અંગે હજુ પોલીસ તપાસ ચાલી રહી છે

મહિલાનું મોત

ટંકારા તાલુકાના હરિપર ગામે હિંમતભાઈ પટેલની વાડી રહેતા અને મજૂરી કામ કરતા ઇશ્વરભાઇ પરમારના પત્ની ચંપાબેન (૧૯) બીમારી સબબ બેભાન હતા અને બેભાન અવસ્થામાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે તેઓને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News