ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં


SHARE











ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા માતાનું મોત: દીકરો સારવારમાં

રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર પ્રકાશના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો: ઇજાગ્રસ્ત માતા-પુત્રને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં જશુબેને સારવારમાં દમ તોડી દીધો હતો

ટંકારાના છતર પાસે ટ્રકે બાઇકને હડફેટે લીધું હતું જેમાં માતાનું મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક પુત્ર ઇજાગ્રસ્ત થયેલ. રાજકોટમાં રામવન પાસે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા જશુબેન ટોળીયા તેના પુત્ર ચિરાગના બાઈક પાછળ બેસી મિતાણા ગામે માતાજીના દર્શને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

આ અંગે મળતી વિગત મુજબ, ગઈકાલે સાંજે 4 વાગ્યા આસપાસ જશુબેન લાખાભાઈ ટોળીયા (ઉં. વ.60) અને પ્રકાશભાઈ લાખાભાઈ ટોળીયા (ઉં. વ.24)(રહે. બંને રાધાકૃષ્ણ સોસાયટી, રામવન પાસે, રાજકોટ)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન જશુબેનનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ ટીમ દોડી આવી હતી.

મૃતકના પરિજનોની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, ગઈકાલે બપોરે માતા-પુત્ર મિતાણા ખાતે આવેલ માતાજીના મંદિરે દર્શન કરવા જવા માટે બાઈક પર નીકળ્યા હતા. આશરે પોણા ત્રણ વાગ્યે છતર ગામ પાસે મોરબી રાજકોટ રોડ પર બાલાજી કારખાના પાસે પહોંચતા પાછળથી આવતા આઇસર ટ્રક ચાલકે બાઈક સહિત પાછળથી માતા પુત્રને હડફેટે લેતા બંને ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં માતાનું મોત થયું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતક જશુબેનને સંતાનમાં 3 દીકરી, 2 દીકરા છે. તેમના પતિ લાખાભાઈ નિવૃત્ત છે.જ્યારે ઇજાગ્રસ્ત પ્રકાશ ચા ની કિટલી ચલાવે છે. પ્રકાશ ઇજાગ્રસ્ત હોય, તેને સારવારમાં દાખલ રખાયો છે. બનાવથી ટોળીયા પરિવારમાં શોક છવાયો હતો.






Latest News