મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત


SHARE











મોરબીના ઘુટું ગામે રામકો વિલેજમાં એસિડ પી ગયેલ યુવતીનું રાજકોટ સારવારમાં મોત

મોરબી નજીકના ઘુટું કામે આવેલ રામકો વિલેજ ખાતે રહેતા પરિવારની દીકરીએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા. જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘુટું ગામે આવેલ રામકો વિલેજમાં રહેતા વાલજીભાઈ ફાંગલીયા જાતે ભરવાડની 18 વર્ષની દીકરી સોનલબેને પોતે પોતાના ઘરે હતી ત્યારે તા. 7/7 ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર પોતાની જાતે ઘરે એસિડ પી લીધું હતું. જેથી તે યુવતીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, સારવાર કારગત ન નિવડતા તેનું તા.8/7 ના રાત્રે પોણા બે વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા દુર્લભજીભાઈ ત્રિભોવનભાઈ (48) નામના વ્યક્તિને આલાપ રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સાયન્સ કોલેજની પાછળના ભાગમાં જીવરાજ પાર્કમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ મૂછડિયા (47)એ ગત તા.7/7 ના રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે ટાઇલ્સના કટકા વડે હાથ ઉપર ચેકા મારીને ઇજા કરી લીધેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.




Latest News