ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામે સસ્તા અનાજના દુકાનદારથી ગ્રાહકો ત્રાહિમામ


SHARE







મોરબીના મોડપર ગામે સસ્તા અનાજના દુકાનદારથી ગ્રાહકો ત્રાહિમામ

મોરબીના મોડપર ગામની સ્તા અનાજ દુકાન સમયસર ખોલતા નથી જેથી ગ્રાહકોને હેરાન થવું પડે છે માટે સલાકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોશીએ હાલમાં આ મુદે મામલતદારને રજૂઆત કરીને દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે

મોરબીના મોડપર, વીરપરડા અને હજનારી આ ત્રણય ગામ વચ્ચે મોડપરમાં સસ્તા અનાજની દુકાન ચાલુ છે અને હજનારીથી મોડપર વચ્ચેનું અંતર ૫ કિલોમીટર થાય છે જો કે, ગ્રાહકો દુકાને આવે ત્યારે દુકાન સમયસર ખૂલતી નથી જેથી સલાકાર અન્ન અને નાગરિક પુરવઠાના પી.પી.જોશીને તે અંગેની ફરિયાદ મળી હતી જેના આધારે તેને જાતે તપાસ કરતાં તા.૨૧/૧૦ ના સવારે ૧૧.૩૦ સુધી દુકાન ખૂલી ન હતી અને હજનારીથી રીક્ષા ભાડા ખર્ચીને આવેલ ગ્રાહકો હેરાન હતા અને આ બાબતે અને દુકાનદારને ફોન કરતા તેઓએ ફોન રીસીવ કરેલ નહિ ત્યાર બાદ નાયબ મામલતદાર પુરવઠા મહેતાને ફોન કરેલ તેને મને કહેલ કે તમે અરજી મોકલો આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યાર બાદ સરપંચ હજનારીની મુલાકાત કરેલ હતી જેમાં તેઓએ તે ગામના રેશનકાર્ડ બીલીયા ખાતે બદલી કરી આપવામાં આવે કેમ કે, તેઓ સસ્તા અનાજની દુકાનના દુકાનદારથી કંટાળી ગયા છે તેવું કહ્યું હતું જે અંગેની લેખિત ફરિયાદ આપેલ છે અને અવારનવાર અધિકારીને ફરિયાદ આપેલ હોવાથી દુકાનદારને સુચના પણ આપેલ છે તો પણ કોઈ નકર પરિણામ આવેલ નથી જેથી દુકાનદાર સામે યોગી કાર્યવાહી કરીને લોકોને સરળતાથી વસ્તુ મળે તે માટે યોગ્ય કરવા પી.પી.જોશીએ વધુ એક વખત રજૂઆત કરેલ છે






Latest News