ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે તેના માટે હાલમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવ પરિવારના લોકો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લેવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે અને તમામ લોકોના જરૂરી ડોક્યુમેન્ટ આવી ગયા પછી કેમ્પ માટેનો સમય અને તારીખ નક્કી કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે, આગામી સમયમાં આયુષ્યમાન કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. તેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં વસતા ભૂદેવોએ જરૂરી ડોક્યુમેન્ટ તા. ૨૫/૧૦ થી ૨૦/૧૧ સુધીમાં જમાં કરાવવાના રહેશે અને ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને સરનામું લખવાનું રહેશે અને ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની છે તેમાં તાજેતરનો મામલતદારનો (૪ લાખથી નીચેની આવક)નો દાખલો, રેશન કાર્ડ અને રેશન કાર્ડમાં નામ ધરાવનાર તમામના આધાર કાર્ડનો સમાવેશ થાય છે અને આ ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય ૭૦૧૬૩૬૩૩૫૦, ભારતી વિદ્યાલય ૭૦૬૯૭૬૯૮૫૯, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી ૦૨૮૨૨ ૨૨૫૫૧૫, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી ૯૯૨૫૪૦૯૩૨૧, શ્રીમાળી બ્રાહ્મણ વાડી ૯૪૨૮૨૬૭૭૪૧, પરશુરામ ધામ મંદિર ૯૮૨૫૬૭૧૬૯૮ અને નલિની વિદ્યાલય ૯૪૨૬૧૬૫૪૭૦ ખાતે પહોચડવાના છે અને કેમ્પની તારીખ  અને સમય પછી આપવામાં આવશે જો કે, વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા ૯૯૨૪૯૬૮૧૭૧કેયુરભાઈ પંડ્યા ૯૪૨૯૪૮૪૪૪૦ અને અમુલભાઈ જોષી ૯૨૨૭૧૦૦૦૧૧ નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News