મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી


SHARE











મોરબીમાં કોળી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પની કામગીરીને મંત્રીએ બિરદાવી

મોરબીમાં જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયતા વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા હતા અને તેઓએ લોકોના જીવા બચાવવા માટે રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરતાં યુવાનોની ટીમની કામગીરીને બિરદાવી હતી

 

મોરબીમાં જીલલા પંચાયત કચેરીની બાજુમાં આવેલ જય વેલનાથ ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોડીગ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પનું આ આયોજન કરવામાં આવ્યું હોય રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા હતા અને દરેક સમાજ અને સંગઠનના લોકો અન્ય લોકોને જરૂરિયાતના સમયે લોહી મળી રહે તેમાં માટે સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને સેવાકીય કામગીરીને બળ આપે છે ત્યારે મોરબીમાં મોરબી જિલ્લા કોળી સમાજ દ્વારા રકતદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પણ રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરે છે ત્યારે રક્તદાન કેમ્પના આયોજકો અને રક્તદાન કરનારા રક્તદાતાઓને રાજ્યના પંચાયત વિભાગના મંત્રીએ બિરદાવ્યા હતા આ તકે સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા, અમિતભાઇ ગંગારામભાઈ અંગેચાણીયાબાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ દિલીપભાઈ અંગેચાણીયામનસુખભાઇ બરાસરા, જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું






Latest News