ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ મોટી હનુમાન શેરીમાં રહેતા યુવાનના બહેને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારથી યુવાને ગુમસૂમ રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લાતી પ્લોટમાં આવેલ કારખાનાની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ગ્રીનચોક પાસે મોટી હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશભાઈ ભરતભાઈ દોશી જાતે વાણીયા (૨૮) નામના યુવાને મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૫-૬ ની વચ્ચે ભારતીય ચેમ્બરમાં આવેલ નીરવ આર્ટ નામના ઘડિયાળના કારખાનામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનનો ભાઈ મિતેશભાઇ ભરતભાઈ દોશી જાતે વાણીયા રહે. હાલ રંગપર વિરાટનગર મૂળ રહે. હનુમાન શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળા મોરબીના સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવમાં વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનના બહેને નિધિબેને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ઘરેથી જતા રહેલા હતા ત્યારથી મૃતક યુવાન ગુમસુમ રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધેલ છે તેવું તેના પરિવાર જણાવી રહ્યા છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News